ગુજરાત જનરલ નોલેજ ટેસ્ટ - 12

1. 
ગુજરાત વિદ્યાપીઠનું મકાન બાંધવા માટે રૂ. 10 લાખ એકત્રિત કરવા સરદારશ્રીએ ટહેલ નાખી, એ અન્વયે મણિલાલ કોઠારીએ સૌથી વધુ જહેમત ઉઠાવી આથી તેમને કયું બિરૂદ આપવામાં આવ્યું હતું ?
2. 
ગુજરાત રાજ્યમાં સંસ્કૃતિ વનો પૈકી વિરાસત વન કયા જિલ્લામાં આવેલ છે ?
3. 
સાબરમતી આશ્રમથી 12 માર્ચે નીકળેલી ઐતિહાસિક દાંડીકૂચના સત્યાગ્રહીઓ ક્યારે દાંડી પહોંચ્યાં ?
4. 
‘હિંદ છોડો’ ચળવળ વખતે પોતાની જાનની આહૂતી આપનાર શહીદ વીર કિનારીવાલાની અમદાવાદ, ગુજરાત કોલેજ ખાતેની ખાંભીનું અનાવરણ કોના વરદ્‍હસ્તે કરવામાં આવ્યું હતું ?
5. 
ગાંધીજીએ હરિજન ઉદ્ધાર માટે કયા વર્ષ દેશભરમાં પ્રવાસ કર્યો ?
6. 
પૂજ્યશ્રી મોટાનું મૂળનામ ચૂનીલાલ આશારામ ભાવસાર જેમને કયો રોગ લાગુ પડતાં તેમણે જીવનનો અંત લાવવા નર્મદા નદીમાં ઝંપલાવ્યું ?
7. 
‘ઘનશ્યામ’ ઉપનામ કોનું છે ?
8. 
‘માનચતુર અને ધર્મલક્ષ્મી’ એ કઈ નવલકથાનો અંશ છે ?
9. 
ચોરવાડ અને વેરાવળની ખારવણ બહેનો દ્વારા કયું નૃત્યું કરવામાં આવે છે ?
10. 
“કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા” વાળો રણોત્સવ ક્યાં યોજાય છે ?
11. 
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?
12. 
કયો મુઘલ રાજા ગુજરાતને 'હિંદનું આભૂષણ’ માનતો હતો ?
13. 
વાધેલા વંશનો છેલ્લો શાસક કોણ હતો ?
14. 
બ્રિટિશ શાસન વખતે કચ્છના ચલણી સિક્કા કયા નામે પ્રચલિત હતા ?
15. 
મોરબીના રાજવીએ તેમના ધર્મપત્ની મણિબાઈની યાદમાં ‘મણિમંદિર’ ઈમારત બનાવી, આ રાજવીનું નામ જણાવો ?
16. 
મહાગુજરાત આંદોલનનો કયા વર્ષથી પ્રારંભ થયો હતો ?
17. 
અંગ્રેજો સૌપ્રથમ ગુજરાતમાં ક્યાં બંદરે ઉતર્યા હતા ?
18. 
ગાંધીજીના ભારત આવતાં પહેલા કોણે ‘નવજીવન’ માસિક શરૂ કરેલું જે ગાંધીજીએ માસિક પોતે લઈને તેને સાપ્તાહિક બનાવ્યું ?
19. 
10 ચિહ્‍નો ધરાવતું ‘સાઈન બોર્ડ’ (નામનું પાટિયું) જે દુનિયામાં જૂનામાં જુનું સાઈનબોર્ડ છે, તે ક્યાંથી મળ્યું હતું ?
20. 
1947 પછી કરાંચી પાકિસ્તાનમાં જવાથી મુંબઈ બંદર પરનો બોજ હળવો કરવા પશ્ચિમ કિનારા પર મોટા બંદરની શોધ અનિવાર્ય બની જેની કઈ સમિતીએ કંડલા બંદરની પસંદગી કરી ?
21. 
જેસલ-તોરલની કથામાં કાઠિયાવાડમાં સલડી ગામાના સુપ્રસિધ્ધ કાઠી ભગત સાંસતિયાજીની પાણીદાર ઘોડી હતી અને તેની પત્નીનું નામ તોરલ હતુ જે જેસલ મેળવવા પ્રયત્ન કરે છે, જેમાં આ પાણીદારા ઘોડીનું નામ જણાવો ?
22. 
“ હે જી તારા આંગણિયા પુછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો.... આપજે જે રેજી.....” કોની પંક્તિ છે ?
23. 
‘ભાવાર્થ દીપિકા’ નામે ગ્રંથ બીજા કયા નામે જાણીતો છે ?
24. 
કવિવર ઉમાશંકર જેઠાલાલ જોષીને કોની સાથે સંયુક્તરૂપે તેમના ‘નિશીથ’ કાવ્યસંગ્રહનો ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડપ્રાપ્ત થયો હતો ?
25. 
નવલિકા એટલે ટૂંકીવાર્તા સૌપ્રથમ ‘ગોવાલણી’ છે. તેના રચિયતા કોણ હતા ?