બંધારણ - 2

1. 
ભારતના એટર્ની જનરલ વિશે નીચેનામાંથી શું સત્ય નથી ?
2. 
રાજ્યસભા માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચું નથી ?
3. 
બંધારણીય ઇલાજોનો અધિકાર બંધારણનાં ક્યા અનુચ્છેદમાં દર્શાવેલ છે ?
4. 
રાષ્ટ્રીય લઘુમતી પંચ અધિનિયમ ક્યા વર્ષમાં બન્યો ?
5. 
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ અથવા અન્ય સદસ્ય પોતાનું રાજીનામું કોને આપી શકે ?
6. 
' એમિક્સ ક્યુરી ' નો અર્થ શું થાય છે ?
7. 
લોકનાયક જયપ્રકાશ નારાયણે ' ગ્રામ પંચાયત ' ને ' મંત્રીમંડળ ' અને ' ગ્રામ સભાને ' _________ સાથે સરખાવ્યા છે.
8. 
' NITI ' આયોગનું સંપૂર્ણ નામ શું છે ?
9. 
ભારતના સંવિધાનમાં મૂળભૂત હક્કોની જોગવાઈઓ ક્યા ભાગમાં આપવામાં આવેલી છે ?
10. 
ભારતમાં ક્યા દિવસને ' મૂળભૂત ફરજદિન ' તરીકે ઉજવવાનું નક્કી થયું છે ?
11. 
મૂળભૂત કર્તવ્ય ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં સમાવેશ કરવામાં આવેલ છે ?
12. 
ભારતીય બંધારણના કયા આર્ટીકલ મુજબ નાણાપંચની રચના કરવામાં આવેલ છે ?
13. 
કેન્દ્ર સરકારના કાયદા અને રાજ્ય સરકારના કાયદા વચ્ચે ટકરાવની સ્થિતિમાં નીચેનામાંથી કઈ પરિસ્થિતિ સાચી છે ?
14. 
સંવિધાનમાં નાગરિક માટે કેટલી મૂળભૂત ફરજોની જોગવાઈ દર્શાવેલ છે ?
15. 
સંસદના ગૃહો દ્વારા નાણાંકીય કટોકટીની ઉદઘોષણાને માન્ય રાખવામાં આવેલ હોય, તે સિવાય _______ ની મુદત પૂર્ણ થાય તો તે અમલમાં રહેશે નહીં ?
16. 
ભારતના બંધારણના નીચેના પૈકી ક્યાં અનુચ્છેદો સંઘ અને રાજ્ય વચ્ચેના વહીવટી સંબંધો બાબતના છે?
17. 
કેન્દ્રીય તકેદારી કમિશનરની પસંદગી માટેની પસંદગી સમિતિના કોણ સભ્ય નથી?
18. 
સંસદ અને રાજ્યની વિધાનસભાની એક સાથે ચૂંટણી યોજવા અંગેનું સૂચન કરનાર સંસદની સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ કોણ હતા?
19. 
લોકસભાની રચનામા કેંદ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓની સંખ્યા ________ થી વધુ ન હોવી જોઇએ.
20. 
કયા બંધારણીય સુધારા અધિનિયમે બે તેથી વધુ રાજ્યો માટે રાજ્યપાલની નિમણુંક કરવી શક્ય બનાવી?
21. 
ભારતીય બંધારણ મુજબ નીચેના માંથી કયો અધિકાર મૂળભૂત અધિકાર નથી?
22. 
બંધારણની કઈ અનુસૂચિ ઘણા રાજ્યોમાં અનુસૂચિત વિસ્તારોના વહિવટ અને નિયમન માટેની ખાસ જોગવાઈઓને લગતી છે?
23. 
લોકપાલ શબ્દ સૌપ્રથમ વાર કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો?
24. 
ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દરેક સંસદ સભ્યના મતનું મૂલ્ય કેટલું છે?
25. 
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન નીચેના પૈકી ક્યાં મંત્રાલય હેઠળ કાર્ય કરે છે?
26. 
બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા?
27. 
નાગરિકત્વ ધારો 2005 અન્વયે નીચેના પૈકી શુ દાખલ કરવામાં આવ્યું?
28. 
ભારતના બંધારણમાં નીચેના પૈકી કયો અનુચ્છેદ દેશના પર્યાવરણનું જતન અને સુધારણા કરવાની અને જંગલો અને વન્યજીવોના રક્ષણ કરવાની છે?
29. 
લોકસભામાં ખાત્રી સમિતિ કોને જવાબદાર છે ?
30. 
રાજ્યોના હિસાબોનું અન્વેષણ ક્યાં વિષયની યાદીમાં આવે છે?
31. 
નીચેનામાંથી ભારતના બંધારણનો કયો અનુચ્છેદ એવી જોગવાઇ કરે છે કે નાણા વિધેયક રાજ્યસભામાં રજૂ ન થઇ શકે?
32. 
સમગ્ર દેશમાં એકસરખો દીવાની કાયદો થાય તેમ કરવા માટે રાજ્યો પ્રયત્ન કરશે એવો દિશા નિર્દેશ કયો અનુચ્છેદ કરે છે?
33. 
નીચેનામાથી ક્યાં રાજ્યમાં પંચાયતીરાજની વ્યવસ્થા નથી ?
34. 
નીચેનામાથી કઈ બાબતનો પંચાયતના કાર્યક્ષેત્રમાં સમાવેશ થતો નથી ?
35. 
બંધારણના ક્યાં અનુચ્છેદમાં પંચાયતની જોગવાઈ કરાઇ છે ?
36. 
પંચાયતી રાજનું અસ્તિત્વ કઈ કમિટીના અહેવાલ બાદ આવ્યું ?
37. 
ભારતમાં કટોકટી જાહેર થઈ ત્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી નીચેનામાથી કોણ હતા ?
38. 
ભારતીય બંધારણ અનુસાર મૂળભૂત અધિકારોનું રક્ષણ કોણ કરે છે ?
39. 
નીચેનામાથી કોણ ભારતની બંધારણ સભાના બંધારણીય સલાહકાર હતા ?
40. 
ડો.બાબા સાહેબ આંબેડકરને નીચેનામાથી કઈ બાબત લાગુ પડતી નથી ?
41. 
લોકસભામાં રજૂ થતું વાર્ષિક નાણાકીય નિવેદન ભારતના બંધારણના ક્યાં આર્ટીકલ અન્વયે રજૂ થાય છે ?
42. 
કેન્દ્ર સરકારની વહીવટી કામગીરીની સમીક્ષા સૌપ્રથમ કોણે કરી હતી?
43. 
ભારતમાં 1954માં સ્થપાયેલા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનના પ્રણેતા કોણ હતા?
44. 
રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજ્ય સરકારના ગૌરવ , સ્થિરતા તેમજ તેની સામુહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે. આ વિધાન કોનું છે?
45. 
ગ્રામપંચાયત અને ગ્રામ સભા વચ્ચેનો સંબંધ પ્રધાનમંડળ અને વિધાનસભા જેવો હોવો જોઈએ? આ વિધાન કોનું છે?
46. 
ગુજરાતમાં મહાનગરપાલિકાને મોબાઈલ ટાવર ઉપર વેરો નાખવાની સતા ક્યારે આપવામાં આવી?
47. 
ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં પૂછાયેલ પ્રશ્નોના ઉત્તર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે?
48. 
તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારુ બધું સાચવી લેશે - આ વિધાન કોણે કહ્યું હતું?
49. 
સતાનું પ્રતિનિધાન હોવું એ કેવા પ્રકારની પ્રક્રિયા છે?
50. 
ભારતનું બંધારણ ઘડવા બંધારણ સભાએ પોતાનું કાર્ય ક્યારે શરૂ કર્યું હતું ?